મખાના
યુરીયલ ફેરોક્સ, જેને સામાન્ય રીતે કાંટાદાર વોટરલીલી, મખાના, અથવા ગોર્ગોન પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ મખાના એ દક્ષિણ અને પૂર્વ એશિયામાં જોવા મળતી વોટર લીલીની એક પ્રજાતિ છે. જે યુરીયલ જાતિનો એકમાત્ર હાલમાં અસ્તિત્વમાં રહેલો સભ્ય છે. મખાના એ એક ખાદ્ય બીજ, જેને શિયાળ નટ્સ કહેવામાં આવે છે. મખાનાને સૂકવવામાં આવે છે અને મુખ્યત્વે તેને એશિયામાં વધુ ખાવામાં આવે છે.

ભારત, ચીન અને જાપાનમાં નીચાણવાળા તળાવોમાં આ મખાનાના છોડને તેના બીજ માટે ઉગાડવામાં આવે છે. ચીનના લોકો સદીઓથી આ છોડની ખેતી કરે છે.
મખાનામાં રહેલા પોષક તત્વો જેવા કે પ્રોટીન, ફાઇબર,કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. મખાનામાં ફોસ્ફરસ આયન અને ઝીંક જેવા તત્વો પણ હોય છે. મખાનાને સુપર ફૂડ “પાવર હાઉસ” તરીકે ઓળખવામાં આવે છે. મખાનામાં રહેલા આ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. મખાનાને અલગ અલગ રીતે બનાવીને ખાઈ શકાય છે. મખાનાની ખીર બનાવી શકાય છે અથવા મસાલા ચાટ તરીકે પણ ખાઈ શકાય છે.
મખાના એટલે શું?
મખાના, જેને શિયાળ નટ્સ અથવા તો કમળના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મખાના એ કમળના છોડના બીજ છે. આ મખાના એ ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના પ્રદેશોમાં થાય છે. મખાનાનો ઉદ્યોગિક વિકાસ અને ઘરના ઉપયોગ માટે તેનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. આપણા આયુર્વેદ મુજબ મખાનાને અનેક ઔષધીય ગુણો માટે ઓળખવામાં આવે છે.
મખાના ખાવાના ફાયદા (Health Benefits)
મખાના ખાવાના અનેક આરોગ્યને લગતા ફાયદા છે. મખાના એ ખાસ કરીને ખાવામાં હળવા, પૌષ્ટિક અને ઔષધિય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદ અને આધુનિક પોષણશાસ્ત્ર બંનેમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક
મખાના ખાવામાં હળવા હોય છે અને એ સરળતાથી પચી જાય છે. મખાનામાં વિલક્ષણ પ્રકારના તત્વો હોય છે, જે તમને પેટ માટે શરીરને રાહત આપે છે. મખાનાની તાસીર ઠંડી હોવાથી એસિડિટી કે ગેસની સમસ્યા માટે પણ ઉપયોગી છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
મખાનામાં કેલેરીનું પ્રમાણ ઓછું અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેથી તે ભુખ ઘટાડે છે અને લાંબા સમય સુધી શરીરને તૃપ્તિ આપે છે. જેથી વધારે ખોરાક ખાવાની ઇચ્છા થતી નથી. ખોરાક ઓછો ખવાય એટલે વજન નિયંત્રણમાં રહે છે.
હૃદયના આરોગ્ય માટે લાભદાયક
મખાનામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. જે હૃદયરોગ માટે સૌથી સારું અને લાભદાયક છે.
દાંત અને હાડકાં માટે ફાયદાકારક
મખાનામાં કેલ્શિયમનું ઉત્તમ સ્ત્રોત હોવાથી મખાનાનું સેવન હાડકાં અને દાંતના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
એન્ટી-એજિંગ ગુણધર્મ
મખાનામાં એન્ટીઑક્સિડન્ટ્સ ગુણધર્મ રહેલો હોય છે. જે શરીરમાં વધતા ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે અને તમારી ચામડીને યુવાન અને સ્વસ્થ રાખે છે.
ડાયાબિટીસમાં લાભદાયક
મખાનાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે મખાના ખાવાથી લોહીમાં શુગરની માત્રા ઝડપથી વધતી નથી. તેથી, મખાનાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે.
સ્ટ્રેસ અને નિદ્રાની સમસ્યા
મખાનામાં રહેલા પોષક તત્વો મગજને શાંત રાખવામાં મદદ કરે છે. જેના કારણે માનસિક તણાવ ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે.

મખાના કઈ રીતે ખાવા જોઈએ?
મખાના ઘી કે તેલમાં તળેલા પણ મર્યાદિત પ્રમાણમાં ખાવા જોઈએ. મખાનાનું સૂપ, કઢી, મિઠાઈ, મખાનાની ખીર, અથવા નાસ્તામાં ડ્રાય ફ્રુટસ સાથે મિક્સ ખાઈ શકાય છે. મખાનાને રાત્રે દૂધ સાથે ખાઈ શકાય છે.
Read more: https://takshlifes.com/benefits-of-eating-carrot/
મખાનાની ખેતી
આ મખાના એટલે કે યુરીયલ ફેરોક્સ. જેને તાજા પાણીના તળાવોમાં ઉગાડવામાં આવતા હોય છે. મખાના ફૂલ હોય છે, જેની સફેદ રંગની અંદરની પાંખડીઓ અને જાંબલી રંગની બહારની પાંખડીઓ જે મખાના ફૂલોને ઉત્પન્ન કરે છે. આ મખાનાના પાંદડાનો દેખાવ મોટા, ગોળાકાર અને પેલ્ટેટ હોય છે. જે પાંદડાની મોટાઈ એક મીટર એટલે કે તે દેખાવમાં 3 ફૂટ કરતા પણ વધુ પહોળા હોય છે. મખાનાની નીચેના ભાગની સપાટીની મધ્યમાં પાંદડાની દાંડી જોડાયેલી હોય છે. મખાનાના પાંદડા ઊંડા અને લીલા રંગના દેખાતા હોય છે. આ પાંદડાની નસો જાંબલી રંગની હોય છે. મખાનાની દાંડી અને પાંદડા તીક્ષ્ણ કાંટાથી ઢંકાયેલા હોય છે. મખાનાને છીછરા પાણીમાં, તળાવના તાજા પાણીમાં અથવા સમૃદ્ધ જમીનમાં ઉગાડી શકાય છે. મખાનાની ખેતીમાં મખાના છાંયો કે ઠંડી સહન કરતું નથી.

ભારત મખાનાનું સૌથી મોટું ઉત્પાદક
આપણું ભારત સમગ્ર વિશ્વમાં મખાનાનું સૌથી મોટું ઉત્પાદક સ્થળ ગણાય છે. ભારત દેશના 90% જેટલું મખાનાનું ઉત્પાદન બિહાર રાજ્યમાં થાય છે. મખાનાને “ફોક્સ નટ” અને “કમળના બીજ” પણ કહેવામાં આવે છે. ભારતમાં મખાનાનું બજારમાં વેચાણ 3000 કરોડ રૂપિયા જેટલું છે. જેથી આ મખાનાની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. અહીં, આગામી 2-3 વર્ષમાં આ બજારનું વેચાણ કદ રૂ. 6000 કરોડ સુધી પહોંચી શકે છે. ભારત અને અન્ય દેશોમાં પણ મખાનાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
મખાનાનું પોષણ મૂલ્ય
આ મખાનાનું પોષણ મૂલ્ય એ સુપરફૂડ તરીકે ઓળખાતા મખાનાની પોષક ઘનતા વધારે છે. આ મખાના ઓછી કેલરીવાળો ખોરાક છે અને તે અનેક પોષક તત્વોથી ભરપૂર છે. મખાનામાં પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો હોય છે. જેમાં ચરબીનું પ્રમાણ બિલકુલ નહિવત્ હોય છે.
મખાનામાં આવશ્યક ખનિજો
મખાનામાં વિટામિન A અને B1 હોય છે. આ મખાનામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો તત્વો પણ રહેલા હોય છે.

મખાના સ્વાસ્થ્ય લાભો
મખાનામાં હાજર રહેલ કેલ્શિયમ શરીરના હાડકાને મજબૂત બનાવે છે. મખાનાનું સેવન શરીરમાં વધતા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. મખાનામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ્સ તેને સૌથી ખાસ બનાવે છે. મખાનામાં ગેલિક એસિડ, ક્લોરોજેનિક એસિડ અને એપિકેટેચીન જેવા એન્ટીઓક્સીડેન્ટ ગુણો રહેલા હોય છે. આ મખાનામાં રહેલા પોષક તત્વો મુક્ત રેડિકલની અસર ઘટાડે છે અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે. આ મખાનાનું સેવન કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
મખાના શેમાંથી બને છે?
મખાના કમળના છોડનો એક ભાગ છે. આ મખાના કમળના ફૂલનું જ બીજ હોય છે, જેની પ્રક્રિયા કરવામાં આવે છે. મખાનાને પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવે છે. મખાનાના બીજને ડિસેમ્બર મહિનામાં તાજા પાણીના તળાવ અથવા તો ખાડામાં વાવવામાં આવે છે.
Read more : https://takshlifes.com/benefits-of-eating-drumsticks/
મખાનાને દૂધ સાથે ખાવાના ફાયદા
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો દૂધનું સેવન કરતા હોય છે. દૂધ અને મખાનાનું સેવન એક રામબાણ ઈલાજ છે. મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિમ, એન્ટી- બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો રહેલા હોય છે. મખાનાને દૂધ સાથે ખાવાથી એનિમિયા, કબજિયાત, હાડકાં અને માનસિક તણાવ જેવી સમસ્યામાં રાહત મળે છે.

પોષક તત્વોથી ભરપુર
મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. જ્યારે દૂધમાં કેલ્શિયમ અને ઘણા વિટામિન સ્ત્રોત રહેલા હોય છે. આ બંનેમાં રહેલા પોષક તત્વો એક પાવર હાઉસ છે. જે શરીરમાં હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
હૃદય માટે ફાયદાકારક
મખાનામાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. જે બ્લપ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. મખાનામાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે તણાવ અને હૃદય રોગનું જોખમ દૂર કરે છે. દૂધનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદકારક છે. દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી હૃદયરોગ માટે ફાયદાકારક છે.
ત્વરિત ઊર્જા માટે
મખાનામાં ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ સામગ્રી હોવાને કારણે તેને ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જ્યારે દૂધમાં લેક્તોઝ અને પ્રાકૃતિક ખાંડ હોય, જે શરીરને ઉત્તમ ઊર્જા પ્રદાન કરે છે. મખાના અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને ઊર્જાથી ભરી દે છે. દરરોજ સવારે ઊઠીને દૂધ અને મખાનાનું સેવન કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે.
વજન ઘટાડવા માટે
મખાનામાં કેલરી ઓછી અને પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. જે તમારા શરીરનું વજન ઘટાડે છે. મખાના પ્રોટીનથી ભરપૂર હોવાથી જે ખાધા પછી પેટ ભરેલું લાગે છે જેથી ભૂખ ઓછી લાગે છે. જે તમારા વજનને નિયંત્રિત કરે છે. દૂધ સાથે મખાના ખાવાથી લાંબા સમય સુધી સંપૂર્ણતાનો અહેસાસ થાય છે.
સારી ઊંઘ માટે
મખાનામાં ઘણાં એમિનો એસિડ હોય છે જે તમારી ઊંઘની ગુણવત્તાને સુધરે છે. દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે જે તમારા શરીરને આરામ આપે છે. રાત્રે દૂધ સાથે મખાનાનું સેવન શરીર માટે અને સારી ઊંઘ આવે તે માટે ખૂબ જ ફાયદાકારક છે.
Disclaimer : આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે તે હેતુથી દર્શાવવામાં આવી છે. જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. જે લોકોને વધુ માહિતી જાણવી હોય તે લોકોએ યોગ્ય તજજ્ઞની મુલાકાત લેવી.