ચૈત્ર નવરાત્રિ, ચૈત્ર માસનું મહત્વ | Chaitra Navratri, Importance of Chaitra Month, and Its Glory

ચૈત્ર નવરાત્રિ

ચૈત્ર નવરાત્રિ એ હિંદુ કૅલેન્ડર મુજબ ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુ દરમિયાન આવે છે. સામાન્ય રીતે તે માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ

આ ચૈત્ર નવરાત્રિથી જ હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થાય છે. ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમી. આ ચૈત્ર નવરાત્રિના નવમાં નોરતાના દિવસે આવે છે. દેશના વિવિધ ભાગોમાં માતાજીના વિવિધ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિ મનુષ્યના મનની આત્મશુદ્ધિ અને ભગવાનની સાધના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નવ દેવીના સ્વરૂપોની પૂજા

ચૈત્ર નવરાત્રિની પૂજા

ઘટસ્થાપના (કળશ સ્થાપન): પ્રથમ દિવસે ઘટની સ્થાપના કરીને પવિત્ર માટીમાં જઉંની વાવણી કરીને માં દુર્ગાની પૂજા, ચૈત્ર નવરાત્રિની શરૂઆત કરવામાં આવે છે.

જપ-તપ અને વ્રત: આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક ભક્ત નવ દિવસ વ્રત રાખે છે. માં દુર્ગા અને દુર્ગા સપ્તશતી, દેવી મહાત્મ્યની પૂજા પાઠ કરે છે.

કન્યા પૂજન: ચૈત્ર નવરાત્રિ દરમિયાન અષ્ટમી કે નવમીના દિવસે નવ કન્યાઓને યથા શક્તિ પ્રમાણે પૂજન કરીને તેમને પ્રસાદ અને ભોજન કરાવવામાં આવે છે.

ચૈત્ર માસ: હિંદુ નવા વર્ષની શરૂઆત

ચૈત્ર માસને આપણા હિંદુ કેલેન્ડરનો પહેલો મહિનો ગણવામાં આવે છે. આ ચૈત્ર માસને આપણા હિંદુ ધર્મમાં “મધુમાસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, આ ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. આપણા હિંદુ કેલેન્ડરનો પહેલો મહિનો ચૈત્ર છે જ્યારે છેલ્લો મહિનો ફાગણ છે. આ ચૈત્ર મહિનાની શરૂઆતની સાથે નવા વિક્રમ સંવત 2082નું વર્ષ પ્રારંભ થાય છે. ચૈત્ર મહિનાને ખૂબ જ ધાર્મિક અને ભક્તિમય મહિનો માનવામાં આવે છે. આ ચૈત્ર માસમાં બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી.

આપણી હિંદુ માન્યતા અનુસાર, ભગવાન બ્રહ્માએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે સમગ્ર બ્રહ્માંડ એટલે કે સૃષ્ટિની રચના શરૂ કરી હતી. આથી, આ ચૈત્ર માસથી નવા હિંદુ વર્ષની શરૂઆત ગણાય છે. આપણા હિંદુ કેલેન્ડરમાં દરેક મહિનાનું નામ નક્ષત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચિત્રા નક્ષત્રની પૂર્ણિમાને કારણે આ માસને “ચૈત્ર માસ” કહેવામાં આવે છે. આ ચૈત્ર માસમાં વિવિધ પ્રદેશોમાં આ તહેવાર અલગ-અલગ નામથી ઉજવાય છે.

નવા વર્ષની ઉજવણી

ચૈત્ર માસનો મહિમા

ચૈત્ર માસનું આધ્યાત્મિક મહત્વ

નવરાત્રિ : ચૈત્ર નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી દેવી નવદુર્ગા પૂજા આરાધના કરવામાં આવે છે.

રામ નવમી: ભગવાન રામનો જન્મદિવસ.

વિષ્ણુ અવતાર: ભગવાન વિષ્ણુએ ચૈત્ર માસમાં પ્રલયમાં જીવોની રક્ષા માટે મત્સ્ય અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ માછલીનો અવતાર ધારણ કરી સમગ્ર સૃષ્ટિની રક્ષા કરી હતી.

ધાર્મિક દાન અને પૂજા: ગાયનું દાન, લીમડાના પાનનું સેવન, અને પવિત્ર વૃક્ષોને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

પર્યાવરણ અને સ્વાસ્થ્ય

હવામાન પરિવર્તન: આ ચૈત્ર માસમાં વસંતઋતુ પૂરી થઈ ઉનાળાની શરૂ થાય છે. ચૈત્ર માસમાં શિયાળાની (વસંતઋતુની) પૂર્ણતા અને ઉનાળાની શરૂઆત થાય છે.

આહાર અને આરોગ્ય: હળવો, પાચનશક્તિ વધારતો આહાર લેવાનો ઉપદેશ.

લીમડાનું મહત્વ: લીમડાના કૂણાં પાનનું સેવન આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. લોહી શુદ્ધ કરવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીમડાના પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

Read more: https://takshlifes.com/navratri-festival-2023/

ચૈત્ર માસના મુખ્ય તહેવારો

ચૈત્ર મહિનામાં આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક લાભ

પ્રકૃતિ સાથે એકતા: આ ચૈત્ર માસ આપણી જીવનશૈલી અને આપણા આરોગ્ય માટે ખૂબ જ અનુકૂળ છે.

ધાર્મિક ઊર્જા: પૂજા-પાઠ, દાન – દક્ષિણા અને જપ-તપ માટે આ ચૈત્ર મહિનો શ્રેષ્ઠ ગણાય છે.

સંતુલિત જીવનશૈલી: આ ચૈત્ર માસમાં આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે લીમડો, તુલસી, અને સૂર્ય નારાયણના ઉપાસનાની પરંપરાઓ જળવાઈ રહે છે.

ચૈત્ર માસ એ આપણા મનુષ્ય જીવનની નવી શરૂઆત છે, અહીં, પવિત્રતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો શ્રેષ્ઠ સમય છે.

આ ચૈત્ર મહિનામાં સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું અને નમસ્કાર કરવા. પવિત્ર વૃક્ષો જેવી કે પીપળ, કેળા, તુલસી, લીમડો અને વડને જળ ચઢાવવું અને પ્રદક્ષિણા કરવી શુભ માનવામાં આવે છે.

ચૈત્ર માસનો આ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય આપણને સૌને પ્રકૃતિ સાથે જોડાવા અને સ્વસ્થ જીવનશૈલી, આરોગ્ય અપનાવવા માટે પ્રેરિત કરે છે.

ચૈત્ર માસની ખાસિયત અને મહિમા

આપણા હિંદુ ધર્મમાં નવા વર્ષના પ્રથમ મહિનાનું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન બ્રહ્માએ આ ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાથી સમગ્ર સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી. ચૈત્ર મહિનાની ખાસ વાતો જાણો.

ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ છે અને આ દિવસે વિક્રમ સંવત વર્ષ સમાપ્ત થાય છે. તેના બીજા દિવસે એટલે કે નવું વિક્રમ સંવત વર્ષ શરૂ થાય છે.

નવું હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવત ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. આ દિવસથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થાય છે. જેમાં નવ દિવસ સુધી દેવી માં દુર્ગાની સતત પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સિવાય ભગવાન રામનો રાજ્યાભિષેક, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને શીખ ધર્મના બીજા ગુરુ અંગદ દેવનો જન્મ આ જ ચૈત્ર માસમાં થયો હતો.

ચૈત્ર માસને વર્ષની શરૂઆતનો પ્રથમ મહિનો ગણવામાં આવે છે. તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે. અગાદિકાનો અર્થ છે યુગની શરૂઆત. એટલે કે, બ્રહ્માજી દ્વારા બ્રહ્માંડની રચનાનો પ્રથમ દિવસ.

આ નવા વર્ષની શરૂઆત તરીકે, ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને પંજાબમાં બૈસાખી, મહારાષ્ટ્રમાં ગુડી પડવા, સિંધમાં ચેટીચાંદ, કેરળમાં વિશુ, આસામમાં બિહુ અને જમ્મુ અને કાશ્મીરમાં નવરેહ તરીકે ઉજવવામાં આવે છે.

અહીં, ઘણા વર્ષો પહેલા, માર્ચ મહિનો સમગ્ર વિશ્વમાં વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. કારણ કે આજે પણ નવું એકાઉન્ટ બુક માર્ચ મહિનાથી જ શરૂ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ, ઋતુ, મહિનો, તિથિ જેવી ગણતરી ચૈત્ર પ્રતિપદાના દિવસે જ થાય છે.

ભગવાન વિષ્ણુએ આ ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ માછલીના સ્વરૂપે અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ માછલીનું રૂપ ધારણ કરીને સમગ્ર બ્રહ્માંડના તમામ જીવોને પ્રલયથી બચાવ્યા હતા.

ચૈત્ર મહિનાથી વાતાવરણમાં હવામાન બદલાવા લાગે છે. આ ચૈત્ર મહિનામાં વસંતઋતુ તેની ચરમસીમા પર હોય છે. આ સમય દરમિયાન શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે. ચૈત્ર માસથી આપણા રોજિંદા ખાનપાન અને આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. આ સમય દરમિયાન વધુ પાણી પીવું પડે છે અને સરળતાથી સુપાચ્ય એવો ખોરાક ખાવા-પીવામાં આવે છે.

ચૈત્ર માસમાં લીમડાના કૂણાં પાનનું સેવન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. લીમડાના કૂણાં પાન ખાવાથી આપણા શરીરમાં વહેતું લોહી શુદ્ધ થાય છે અને વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. ચૈત્ર માસમાં ગાયનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચૈત્ર માસને દેવી-દેવતાઓની પ્રતિષ્ઠા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ચૈત્ર માસનું મહત્વ અને મહિમા

ચૈત્ર મહિનો આપણા હિંદુ પંચાંગ મુજબ પ્રથમ મહિનો છે અને આ માસને શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ ચૈત્ર મહિનાને હિંદુ નવા વર્ષની શરૂઆત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ચૈત્ર મહિનાનું ધાર્મિક, વૈજ્ઞાનિક અને ઋતુગત મહત્વ અનોખું છે.

ધાર્મિક મહત્વ

ચૈત્ર નવરાત્રી: આ ચૈત્ર મહિનામાં નવરાત્રીના પર્વ દરમિયાન મા દુર્ગાની નવ દિવસ સુધી ઉપાસના કરવામાં આવે છે. નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

રામ નવમી: ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ (રામ નવમી) ચૈત્ર સુદ નવમાં દિવસે ઉજવવામાં આવે છે.

હનુમાન જયંતિ: ચૈત્ર મહિનાની પુર્ણિમા તિથિએ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.

ગુંગી ગરજે: કેટલાક વિસ્તારોમાં ભગવાન શિવની પૂજા માટે ખાસ વ્રત રાખવામાં આવે છે. તેમજ શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક અને ઋતુગત મહત્વ

વસંત ઋતુનો આરંભ: ચૈત્ર માસ એ વસંત ઋતુનો મુખ્ય મહિનો છે, જેમાં પર્યાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે.

આરોગ્ય માટે ઉત્તમ સમય: આ ચૈત્રમાં માસમાં શરીર માટે ઉપવાસ અને આહારનું નિયમન કરવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ

વિશ્વકર્મા પૂજન: આ ચૈત્ર માસમાં કેટલાક વિસ્તારોમાં કારીગરો અને ઉદ્યોગકારો દ્વારા વિશ્વકર્મા પૂજન કરવામાં આવે છે.

ખેડૂત માટે નવી ઋતુ: આ મહિનો કૃષિ અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે, કેમ કે, આ ચૈત્ર માસમાં નવા પાકનું વાવેતર શરૂ થાય છે.

ચૈત્ર મહિનો નવી શરૂઆત, પવિત્રતા અને શુભ કાર્ય માટે સર્વોત્તમ ગણાય છે. ચૈત્ર માસમાં સત્કર્મ, ઉપવાસ, દાન અને પર્યાવરણ સાથે સંકળાયેલા કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે. આ ચૈત્ર મહિનો આપણા જીવનમાં નવી ઉર્જા અને શુભતા લાવે છે.

વિષ્ણુના મત્સ્ય અવતારનું મહત્વ

આ ચૈત્ર મહિનામાં જ મત્સ્ય જયંતી પણ ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના દશમાં અવતાર “મત્સ્ય અવતાર” એ દશાવતારમાંથી પહેલો અવતાર છે. ભગવાન વિષ્ણુએ આ મત્સ્યરૂપ લઈને પ્રલયથી સમગ્ર સૃષ્ટિની રક્ષા કરી હતી અને વેદોની પણ રક્ષા કરી હતી. આ પાવન ચૈત્ર મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું અને પૂજા અર્ચના કરવાથી તન અને મન બંનેની શુદ્ધિ થાય છે. આ ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે દાન-પુણ્ય કરવું જોઈએ.

ચૈત્ર માસમાં શું કરવું જોઈએ

ચૈત્ર માસમાં સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સૂર્યને પાણી ચઢાવવું અને સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને બધા જ રોગોમાંથી છુટકારો મળે છે.

ચૈત્ર મહિનામાં નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આમ, આ પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

ચૈત્ર માસમાં પશુ-પક્ષીઓને પાણી પીવડાવવું જોઈએ. તથા પક્ષીઓને દાણા ચણવા નાખવા જોઈએ. આમ, કરવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ બની રહે છે.

ચૈત્ર મહિનામાં રોજ સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. યોગ કર્યા પછી લીમડાના કૂણાં પાનનું સેવન કરવું જોઈએ.

ચૈત્ર મહિનામાં પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ. પીપળાની સાત વાર પરિક્રમા કરીને લાલ કંકુ અર્પિત કરવું જોઈએ. આમ, કરવાથી તમને જીવનમાં શાંતિ મળે છે.

ચૈત્ર મહિનો એ કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનું મહિનો હોય છે. તેથી, આ ચૈત્ર માસમાં કીડીને કીડીયારૂ પૂરવું જોઈએ.

Leave a comment